બાબરાનાં ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ પશુઓ ઉપર અત્યાચાર વધતા જીવદયાપ્રેમીઓમાં રોષ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/12/BABARA-1-2.jpg)
બાબરા તાલુકાનાં થોરખાણ મુકામે અબોલ પશુઓ પર અત્યાચાર કરી ત્રણ જેટલા આખલાને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા અમરેલી જિલ્લા પ્રાણી અત્યારચાર નિવારણ સોસાયટીનાં મૌલિકભાઈ તેરૈયા તેમજ વન વિભાગ બાબરાનાં કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તો બીજી તરફ તાલુકાનાં વાંડળીયા ગામની સીમમાં એક અબોલ પશુ આખલાને ક્રુરતાપૂર્વક માર મારી ગંભીર ઈજાઓપહોંચાડતા બાબરા જીવદયા પરિવારનાં ગજેન્દ્રભાઈ શેખવા, રમેશભાઈ તેરૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત આખલાને સારવાર કરી બાબરાની ગૌશાળા ખાતે રાખવામાં આવેલ છે.
અબોલ પશુઓ પર ક્રુરતાપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારનાર તેમજ ગંભીર ઈજાઓ કરનાર વિરૂઘ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે જીવદયા પરિવાર ઘ્વારા બાબરા પોલીસમાં અરજી આપવામાં આવેલ છે.
Recent Comments