બોઘરીયાણી મંદિર સેવા ટ્રસ્ટી ના ટ્રસ્ટી મંડળ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય એવા ઉત્તમ હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
ખોડિયાર જયંતિ ના પાવન દિવસે સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામ ખાતે અતિપ્રાચીન એવા શ્રી બોઘરીયાણી ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ખોડીયાર પ્રાગટ્ય દિવસ ( ખોડિયાર જયંતિ) ની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ તકે મંદિરના મહંત શ્રી મહેશદાસ બાપુ દ્વારા સર્વપ્રથમ માતાજીની પૂજા-અર્ચના બાદ સદગુરુ શ્રી નારણદાસ બાપુ ની પ્રતિમાનું પૂજન વિધિ કરવામાં આવ્યું હતું તથા તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરી કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે કોરોના જાગૃતિ પ્રત્યે એક ઉત્તમ સેવા નું ઉદાહરણ પૂરું પાડી માસ્ક ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંસ્થાના મહંત શ્રી મહેશ બાપુ તેમજ બોઘરીયાણી મંદિર સેવા ટ્રસ્ટી ના ટ્રસ્ટી મંડળ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય એવા ઉત્તમ હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments