લાઠી શહેર માં પદ્મશ્રી શાબુદિનભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં કવિ કલાપી ની પુણ્યતિથિ નિમેતે સ્વરાંજલી કાર્યક્રમ યોજાય ગયો પ્રજા ની પીડા જાણતા મૃદુહદય ના રાજવી કવિ કલાપી એ રચી પંકતી. “નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન”
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/IMG_20220610_132903-1140x620.jpg)
લાઠી શહેર માં પદ્મશ્રી શાબુદિનભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં કવિ કલાપી ની પુણ્યતિથિ નિમેતે સ્વરાંજલી કાર્યક્રમ યોજાય ગયો મૃદુહદય ના દયા અને કરુણા વત્સલ્ય રાજવી કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતી સ્વરાંજંલી માં ધારાસભ્ય ઠુંમરે કવિ કલાપી ની પંકતી વાગોળી નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન રાજવી કવિ કલાપી ના જીવન કવન અને પ્રજા વત્સલ્ય પણા વિશે સુંદર સદેશ આપ્યો હતો લાઠી ના રાજવી કવિ કલાપી ની 122 મી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગ થી દીપિકા ચિખલિયા પ્રસ્તુત અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ ના સથવારે સ્વરાંજંલી કાર્ય ક્રમ પદ્મશ્રી શાબુદિંભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં યોજાયોઆ પ્રસંગે લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર એમ.પી. રામાણી નગરપાલિકા ના ભરતભાઈ પાડા મહિલા અગ્રણી રંજનબેન ડાભી રીટાબેન ભટ્ટ, હરેશભાઈ પઢિયાર A.J.M.S બેંક બ્રાન્ચ મેનેજર રાજુભાઈ રીઝિયા એડવોકેટ વિપુલભાઈ ઓઝા સહિત અસંખ્ય શહેરીજનો કલાપી તીર્થ મંદિર ના સર્વ અગ્રણી ની ઉપસ્થિત માં મૃદુહદય ના મેળવડા માં ભુપેન્દ્ર બારોટ અને કલા વૃંદ દ્વારા કવિ કલાપીની રચના રજૂ કરેલ કાર્યક્રમ નું સંચાલન આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ અને આભાર વિધિ ભરતભાઈ શુક્લે કરેલ અને સંચાલન કવિ ડોકટર ધ્રુવ મહેતા એ કરેલ
Recent Comments