અમરેલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ આવાસોનું વડોદરાથી વર્ચ્ચુઅલી ઈ-લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ‘‘ગુજરાત ગૌરવ અભિયાન’’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) અંતર્ગત પૂર્ણ થયેલ આવાસોનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ વડોદરાથી વર્ચ્યુઅલી કર્યું હતું, જે અન્વયેઅમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વર્ચ્ચુઅલી રીતે જિલ્લા કક્ષાએ યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રી દ્વારા વડોદરાથી યોજાયેલ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્ણ થયેલ આવાસોના લાભ લાભાર્થીઓને વિતરિત કરાયા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૩૮ આવાસ પૂર્ણ થયા છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ લાભાર્થીઓના ૧૨૧૮ આવાસોનું બાંધકામ પૂર્ણ થયું છે.
જિલ્લા કક્ષાના વર્ચ્ચુઅલ રીતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સકસેના સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments