ભારત સરકાર દ્વારા અગ્નિપંથ યોજના ની વિરુધ્ધ મા યુવાનો ના સમર્થન માટે “સત્યમેવ જયતે” રાષ્ટ્રીય કોંગ્રેસ નેજા હેઠળ દિલ્હી ખાતે સત્યાગ્રહ છાવણી મા જોડાતા પ્રતાપ દુધાત
આજ રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નવી દિલ્હી ખાતે “સત્યમેવ જયતે” હેઠળ યુવાનો ના સમર્થન માટે રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા શ્રી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા ની માર્ગદર્શન અને આગેવાની હેઠળ નવી દિલ્હી ખાતે સત્યાગ્રહ આયોજન કરવામાં આવેલ તેમાં સાવરકુંડલા –લીલીયા વિધાનસભા મત વિસ્તાર નાં ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત ભારતભર ના યુવાનો ના સમર્થન માટે આ સાવણી મો સત્યાગ્રહ માટે જોડાયેલ અને દેશ ભરના યુવાનો ને ભારત સરકાર દ્વારા અગ્નિપંથ યોજના નો વિરોધ્ધ દર્શાવેલ હતો. અને નવ યુવાનો ને આ યોજના એક અન્યાય રૂપ હોય, આ યુવાનો સરહદ ની સુરક્ષા માટે આવી અગ્નિપંથ યોજના ને વખોડી હતી. આમ સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત યુવાનો ના સમર્થન માટે નવી દિલ્હી ખાતે“સત્યમેવ જયતે” રાષ્ટ્રીય કોંગ્રેસ નેજા હેઠળ સત્યાગ્રહ કરવામાં આવેલ
Recent Comments