માનવતા ને ફરી ઉજાગર કરવામાં યુ ટ્યુબ મિલેનીયર ખજૂરભાઈ એ 11 વ્યક્તિઓના પરિવારનો આશરો બનવવાનું ભગીરથ કાર્ય કર્યું
દેવગામમાં આજે જાણે ખુશીનો પ્રસંગ હોય તેમ તાઉતે વાવાઝોડામાં મકાન ભાંગીને ભુક્કો થઈ ગયેલ તેવી અતિ દરિદ્ર પરિસ્થિતિમાં રહેતા પરિવારનો એકમાત્ર આધાર પણ સાપ કરડતા સ્વર્ગે સીધાવેલ પરિવાર પર વજ્રઘાત પડેલો ત્યારે આવા ગરીબ પરિવારમા 6 નાના બાળકો સાથે કુલ 11 વ્યક્તિઓના પરિવાર માટે યુ ટ્યુબ મિલેનિયમ સ્ટાર ખજૂરભાઈ સુધી સોસીયલ મીડિયા મારફતે વાત પહોંચતા ખજૂરભાઈ વડીયાના દેવગામે આવેલા ને 11 વ્યક્તિઓનો કાર્યભાર સંભાળતી મહિલાની કરમ કથની જાણીને ખજૂરભાઈ એ બે રૂમ સાથેનું મકાન બનાવી આપેલ અને આજે એ મકાન મા વિધિવત પૂજાપાઠ કરાવીને એ મકાન એ ગરીબ પરીવારને સુપરત કરતા માતા ની આંખોમાં અશ્રુઓની ધારાઓ વહી ગયેલ હતી.
જીવનમાં બીજાને મદદરૂપ થવાના સુકાર્યમાં જીવન અર્પણ કરેલ ખજૂરભાઈ એક માનવતા ની ઉમદા મિસાલ સાબિત થયા છે ને અત્યાર સુધીમાં 200 જેટલા મકાનો બેઘર લોકોને બનાવીને આપ્યા છે ત્યારે યુ ટ્યુબ મિલીનીયમ સ્ટાર ખજૂરભાઈ એ 11 વ્યક્તિઓના પરિવાર નો આધાર બનેલા દેવીપૂજક મહિલાએ બધા ને સાચવ્યા. સેવા ના ધ્યેય ને લઈને કાર્ય કરતા ખજુરભાઇ નાનકડા દેવગામ માટે દેવદૂત સાબિત થઈને એક ગરીબ પરિવારનો આશરો બનાવી આપ્યો તો પરીવારના મોભી બનેલા મહિલા ને આજના યુગની વિરંગના કહી હતી
Recent Comments