સાવરકુંડલા ના ગામડો માં જન આશીર્વાદ લેતા અને લોકસેવક પ્રતાપ દૂધાત
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/IMG-20221115-WA0201-1140x620.jpg)
આજ રોજ સાવરકુંડલા તાલુકા નાના ભમોદરા, ચરખડિયા, ઓળીયા, કરજાળા, સિમરણ, બોરળા, જુના સાવર , ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં પ્રતાપ દૂધાત દ્વારા આમ જનતા ના વડીલોના જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.. જેમાં નાના ભમોદ્રા ગામમાં પૂર્વ કૃષિમંત્રી ધીરુભાઈ ધવાળા,સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, નરેશભાઇ દેવાણી, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી, ભૌતિકભાઈ સુહાગીયા તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને ગામો ગામથી ખુબજ મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે.
લોકો પણ પ્રતાપ દૂધાત દ્વારા કરેલ છેલ્લા પાંચ વર્ષ ના કામો હોય, કે લોકોના કોઈપણ કામો હોય ત્યારે સતત સાથે રહી ને લોકોના પ્રશ્ન ઉકેલતા હોય છે.પ્રતાપ દૂધાત નામનો નહીં પણ કામનો માણસ જેના કામો બોલે છે. ના કોઈ લોભામણા વચનો માત્ર કામ સામે દેખાઈ રહ્યું છે. , એટલેજ તો સાવરકુંડલા લીલીયા બોલે ફિરસે પ્રતાપ દૂધાત ના નારા લાગી રહ્યા છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત ધારાસભ્ય નહીં પણ લોક સેવક તરીકે ઊભરી આવ્યા છે જેથી લોકો માં આમ માણસ ની છ્બી ધરાવતા હોય જેના કારણે આમ જનતા અને નાના માં નાનો માણસમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે
Recent Comments