ઇફકો, એનસીયુઆઈ, ગુજકોમાસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પત્રકાર પરિષદ
ઇફકો, એનસીયુઆઈ અને ગુજકોમાસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં અમરેલી શહેર અને જિલ્લાની જનતાને પધારવા જાહેર આમંત્રિત કર્યા હતા. ઇફકો, એનસીયુઆઈ અને ગુજકોમાસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવા માં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં દિલીપભાઇ એ જણાવ્યું હતું કે આવતીકાલે પ્રજા વત્સલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આપણા અમરેલીમાં પધારી રહ્યા છે ત્યારે અમરેલી શહેર અને જિલ્લા ની જનતાને નરેન્દ્રભાઈની જાહેરસભામાં પધારવા અમરેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર આમંત્રણ પાઠવું છું, સામાન્ય રીતે નરેન્દ્રભાઈને બધાં લોકોએ ટીવીમાં, સોશ્યલ મીડિયામાં તો સાંભળ્યા જ હોય, પણ જ્યારે તેઓ રૂબરૂ અમરેલીમાં પધારી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ની જનતાને જાહેરસભાના સ્થળ ઉપર તેમને પ્રત્યક્ષ જોવા અને સાંભળવા જાહેર આમંત્રણ પાઠવું છું, નરેન્દ્રભાઈએ અમરેલીને હંમેશા પોતીકું માન્યું છે, અમરેલીના ખેડૂતો માટે ખૂબ કામો કર્યા છે, તો દરેકને જાહેરસભામાં આવવા આમંત્રણ છે
Recent Comments