e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે , જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .
→ ગુનાની વિગતઃ ગઇ તા .૧૫ / ૦૧ / ૨૦૨૩ ના રોજ ગુણવંતભાઇ ગભાભાઈ રાઠોડ , ઉ.વ .૨૫ , રહે.ધોળાદ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી વાળા રોહીસા ગામે ગયેલ હતા અને રોહીસા ગામે બસ સ્ટેન્ડ પાસે ઉભા હોય , તે દરમ્યાન પોતાના ખીસ્સામાં રાખેલ મોબાઇલ ફોન કિ.રૂ .૧૩૦૦ / – નો કોઇ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે ગુણવંતભાઇ દ્વારા e – FIR કરાવેલ હોય , જે e – FIR અંગે ખરાઇ કરી , તેના પરથી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૨૨૩૦૦૪૧ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા -FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા .૦૯ / ૦૩ / ૨૦૨૩ નાં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જાફરાબાદ તાલુકાના બલાણા ગામેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ નાનજી નારણભાઇ વાજા , ઉ.વ .૨૭ , રહે.વઢેારા , તા.જાફરાબાદ , જિ.અમરેલી .
→ રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ એક સેમસંગ કંપનીનો ગુરૂ ૧૨૦૦ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ .૧૩૦૦ / – નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા , તથા પો.કોન્સ . વિનુભાઇ બારૈયા , લીલેશભાઇ બાબરીયા , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments