ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા વ્યાસપૂર્ણિમા ઉજવાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/IMG-20230701-WA0002-640x620.jpg)
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુગાન મહિમા પૂજન અર્ચન દર્શન સાથે શોભાયાત્રા યોજાશે શ્રી સત્ય નારાયણ દેવ કથા સાથે ઉજવાશે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ “ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા ગુરુ મહિમા નું પર્વ ગુરુ ચરણો માં મનવંદન હળવે હાથે ખૂંદયા અભિમાન. સેવા,સ્મરણ એ જ તારું વરદાન હાથ ઝાલી પાર તરાવ્યો સંસાર. ગુરુ તણો મહિમા અપરંપાર.સત્ય,પ્રેમ ના ધર્મ ને મળાવી. સીધી લીટી તે કર્મ ની કરાવી, કરુણા ઘોડે કરાવ્યો અસવાર. ગુરુ તણૉ મહિમા અપરંપાર.સમસ્ત ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા દાદા ના સાનિધ્ય માં ભવ્ય ગુરુ પૂર્ણિમા ની ઉજવણી થશે
Recent Comments