પીજીવીસીએલ વીજપડી કચેરીને વિભાજીત કરવા લોક માંગ ઉઠી છે
સાવરકુંડલા તાલુકા હેઠળ વીજપડી પીજીવીસીએલમાં લગભગ ૫૨ ગામો આવરી લેવામાં આવ્યા છે જેમાં સાવરકુંડલા તાલુકાના અંદાજિત ૨૯ ગામ તેમજ રાજુલા તાલુકાના ૨૧ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે વાસ્તવિક પરિસ્થિતિમાં ગ્રાહકોની પરેશાની વધારે પ્રમાણમાં જોવા મળેલ છે કારણ કે વીજપડી હેઠળ મેન અંદાજ ફીડર આઠ જેમાં ખેતીવાડી પણ અને જ્યોતિગ્રામ પણ ફોલ્ટ અવારનવાર આવે ત્યારે ગામડાઓ જાજા અને કામગીરી વધારે પ્રમાણ રહેતી હોવાથી આ ઓફિસને બે ભાગમાં વેચવામાં આવે અથવા તો રાજુલા તાલુકાના ૨૧ ગામડાઓ રાજુલા હેઠળપરત આપવામાં આવે કારણકે વીજપડી હેઠળ ૫૨ ગામડાઓ કસ્ટમર ધર્મના ધક્કા ખાય કામગીરી થતી નથી કારણ કે બાવન ગામના ફોલ્ટ એટેન્ડ કરવા નવા ગ્રાહકોને કનેક્શન આપવા બીલીંગની કામગીરી ઓફિસ વર્ક સ્ટાફનો પ્રમાણ ઓછું કાર્ય કામગીરી વધારે પ્રમાણમાં હોય તો આ અંગે તાત્કાલિક નિર્ણય લઈ વીજપડી ઓફિસ ને બે ભાગમાં વિભાજીત કરી ગ્રાહકોને સંતોષકારક કામગીરી થાય સામાન્યતઃ અરજદારોની અરજીને દોઢ દોઢ વર્ષ સુધી કામગીરી થતી નથી કારણ કે સ્ટાફનો અભાવ કામગીરીનો બોજ વધારે પ્રમાણમાં હોય અધિકારીઓનો પણ વાંક ન હોય કર્મચારીનો પણ વાંક ન હોય વીજપડી અંદર ૫૨ ગામ સ્ટાફ પહોંચી વળે નહીં જેથી કરીને કામગીરી માટે ગ્રાહકોને દોઢ વર્ષ સુધી વાટે તો રહેવું જ પડે તો ઉચ્ચકક્ષાએથી આ અંગે વિચારી તાત્કાલિક યોગ્ય નિરાકરણ થાય અને ગ્રાહકોને સંતોષ મળે તેવી લોકમાંગ ઉઠી છે. એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
Recent Comments