સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે હૃદય રોગ જાગૃતિ શિબિર તથા મેડીકલ સારવાર અને નિદાન કેમ્પ યોજાયો.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-25-at-1.44.34-PM.jpeg)
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક વિદ્યા મંદિર તથા નિવાસ અંધ વિદ્યાલય થોરડી દ્વારા હૃદય રોગ જાગૃતિ શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો હતો હૃદય રોગ શિબિરમાં ડોકટરો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં 55 દર્દીઓએ લાભ લીધો હતો મેડીકલ કેમ્પમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ના નિષ્ણાત ડોકટરોએ સેવા આપી હતી જેમા ડો.આર.આર.વાણીયા, ડો.પ્રકાશ કંટારીયા તેમજ મેડીકલ ટીમ અને હેલ્થ સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી હતી આ નિદાન અને સારવાર કેમ્પમાં 55 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેમ્પમાં લોકવિધા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલયના સ્ટાફ અને શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો.
Recent Comments