સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/IMG-20230727-WA0005-1140x519.jpg)
તારીખ 27/07/2023 ને ગુરુવારે સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડી માં 117 દદીઁઓને લાભ લીધો હતો. તેમજ મોતિયા ના ઓપરેશન માટે 34 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ નુ દિપ પ્રાગટય કબિર ટેકરી નાં મહંત નારાયણ સાહેબ, લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી માંથી કિશોરભાઈ શિરોયા તથા તથા જયેશભાઈ પંડયા, અશ્વિનભાઈ ડોડીયા, એમ. એમ. પટેલ તથા રૂજુલભાઈ ગોંડલિયા, સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જગદીશભાઈ જેઠવા, જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ, સુદર્શન નેત્રાલય ના કર્મચારી નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરી ના સ્વયંસેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ત્રીજા ગુરુવારે છેલ્લા 11 વર્ષ થી યોજાય છે..
Recent Comments