fbpx
અમરેલી

આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તંત્રી સંઘ અને જિલ્લા માહિતી કચેરી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલી, તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સોમવાર) નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે અને વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષ્યમાન ભવઃ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કડીના ભાગરૂપે સોમવારે અમરેલી જિલ્લા તંત્રી સંઘ અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે અમરેલી સ્થિત સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પત્રકારો અને જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રક્તદાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ ૧૯ સ્થળો પર તા.૧૬ થી તા.૨૮ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

     આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ રિન્યુઅલ અને આયુષ્યમાન કાર્ડ ન હોય તેવાને નવા કાર્ડ, આભા કાર્ડ કાઢવા સહિતની કામગીરીઓને આવરી લેવામાં આવશે. ગ્રામ પંચાયત, સામૂહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળો પર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. ઉપરાંત ૪૫ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળાઓ યોજવામાં આવશે. બિનચેપી રોગો, ટીબી, રક્તપિત્ત અને અન્ય ચેપી રોગો, માતા અને બાળ આરોગ્ય તેમજ પોષણ, આંખ સંભાળ અને એનિમિયા સહિતના રોગોની સારવાર, આરોગ્ય માટે જાગૃત્તિ સહિતની બાબતોને આવરી લેવામાં આવશે. આરોગ્ય ઉપરાંત સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત, આંગણવાડી કાર્યકરો સહિતનાઓ આ કામગીરી માટે સેવાઓ પૂરી પાડશે. આગામી તા.૨ ઓકટોબર, ૨૦૨૩ના રોજ આયુષ્યમાન સભા યોજવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર ગ્રામસભાઓમાં ટીબી મુક્ત ગામ અભિયાન અંતર્ગત ટીબીની સારવાર અને ટીબી મુક્ત ગામના સંકલ્પને સાધવા માટેની પ્રતિજ્ઞા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/