સાવરકુંડલા ના વજલપરા ના રહેણાંક મકાનમાંગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી… સદનસીબે જાનહાની ટળી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-04-at-1.56.37-PM.jpeg)
સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતા વિકરાળ આગ લાગી હતી. આ મકાનના માલિક નટુભાઈ કાલાવાડિયા એ આ ઘટના અંગે નગરપાલિકા ને તુરંત જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ ની ટીમ પણ તાત્કાલિક આવી જતાં વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એકાદ કલાક ની જહેમત બાદ આગને કાબૂમાં આવી હતી. આ મકાન લાકડા અને વિલાયતી નળિયાં નું હોય કાટમાળ ને મોટું નુકસાન થયું હતું ઉપરાંત ઘરવખરી ને પણ મોટે પાયે નુકસાન થયું હતું. સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.આગ બુઝાવવા માં નગરપાલિકાની ટીમના સભ્યો ભાવેશભાઈ કવા અને ભુપતભાઈ પાનસુરીયા બળવંતભાઈ મહેતા સહિતના સામાજિક આગેવાનોએ ખાસ સહમત ઉઠાવી હતી.
Recent Comments