લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ થી લઇ ને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો ને વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ નો લાભ મળે છે. લાઠી તાલુકા ના અકાળા ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ની ૭ વર્ષ ની બાળકી ને જન્મજાત હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. પ્રાઈવેટ હોસ્પિટલ માં આ જન્મજાત ખામી ની સારવાર અને ઓપરેશન માટે અંદાજીત ચાર થી પાંચ લાખ નો ખર્ચ થાય તેમ હતો. લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર અને તેમની ટીમ દ્વારા બાળકી ના જન્મ થી લઇ છેલ્લા ૭ વર્ષ દરમિયાન નિયમિત સમયાંતરે બાળકી ના ઘરે મુલાકાત લઈ તેની આરોગ્ય તપાસ કરી, અમરેલી આરોગ્ય વિભાગ માંથી ખર્ચ ની મંજુરી મેળવી, સારવાર અંગે તેના વાલી ને માર્ગદર્શન આપી અમદાવાદની ખ્યાતનામ યુ એન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર માટે મોકલ્યા હતા.
નિયમિત તબક્કાવાર સારવાર બાદ કાર્ડિયાક સર્જનો ની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિ થી તેના હૃદય નું જટિલ ઓપરેશન કરી તેને હૃદયરોગ થી ભયમુક્ત જાહેર કરી હતી. હાલ માં તેની સ્થિતિ સંપૂર્ણ નોર્મલ છે. સારવાર અંગે બાળકી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ બાળકી ના આ રોગ અને સારવાર વિશે ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એની બાળકી ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી, ડો. અલ્પેશ સાલ્વી, ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. સાગર પરવડિયા, એમ કે બગડા, બી કે શનિશ્વરા અને લાઠી આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.
Recent Comments