સારહી તપોવન આશ્રમ ખાતે શરદપુનમ નાં પવિત્ર દિવસે “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ” માં સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધ કન્યા છાત્રાલય નાં બાળકો યજ્ઞમાં આહુતી આપશે.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1692867271574.jpg)
“નિરાધારનો આધાર સારહી તપોવન આશ્રમ ખાતે સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણીનાં સંકલ્પ અનુસાર તપોવન આશ્રમનું નિર્માણકાર્ય થાય ત્યા સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવે છે. આ વખતે તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવાર અને શરદપુનમ નાં પવિત્ર દિવસે નવનિર્મિત બિલ્ડિંગનાં હોલમાં “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ”સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધકન્યા છાત્રાલય-મણિનગર નાં બાળકો યજ્ઞમાં આહુતી આપશે. જેથી શરદપુનમ નાં પવિત્ર દિવસે સારહી તપોવન આશ્રમમાં યોજાનાર યજ્ઞનાં દર્શનનો સમય તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુધીનો રહેશે.તેમ યાદી જણાવે છે
Recent Comments