સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિનામૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0004-1140x620.jpg)
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૩-૧૧-૨૩ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૨૧માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૭૦ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૧૬ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી. અને જે દર્દીઓને ચશ્મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્યે સંસ્થા દ્વારા ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી. નેત્રકેમ્પના યજમાન તરીકે નિકિતા એસ. પટેલ તથા રાજ એસ. હિરાણી માધાપર કચ્છ હસ્તે- શામજી પી હીરાણી રહ્યા હતા.
Recent Comments