સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ.શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો.
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ધાર ગામે ખાસ શિબિરનો તા.૮-૧-૨૪ ને સોમવારના રોજ પ્રારંભ થયો તેમાં ઉદ્ઘાટન પ્રસંગે ધાર ગામમાં શ્રી રામદેવપીર આશ્રમનાં મહંતશ્રી ગણપતદાસબાપુના અધ્યક્ષ સ્થાને તથા ભક્તરાજ શ્રી ધ્રુવદાસજી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમા નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા તથા મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા તથા કારોબારી સદસ્ય શ્રી જનકભાઈ ઉપાધ્યાય, દિનેશભાઈ, યોગેશભાઈ, દક્ષાબેન, નરેશભાઈ, અશોકભાઈ, બાબુભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડી. એલ.ચાવડા સાહેબ દ્વારા શિબિરાર્થી બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવી આ પ્રસંગે સૌ વડીલોએ કાર્યક્રમને સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા.
મહેમાનોનું સ્વાગત અને પરિચય પ્રા છાયાબેન પી શાહે કહ્યું હતું શિબિરના હેતુઓ પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતાબેન જોષી એ જણાવ્યા હતા. નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ,કારોબારી સભ્ય જનકભાઈ પ્રાસંગિક પ્રવચન આપેલ મહેમાનોના ઉદબોધન પછી અધ્યક્ષશ્રીનું પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો.પ્રતિમાબેન એમ. શુક્લે કર્યું હતું તથા કેમ્પ કો-ઓડીનેટર ડો. કે.પી.વાળા સાહેબે કાર્યક્રમનું આભાર દર્શન કર્યો હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો મહંતશ્રી ગણપતદાસ બાપુ તથા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો
Recent Comments