fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં ‘મિશન ઓફ વિઝન’ પુસ્તકના લેખક શ્રી પિયુષ સગરનું વ્યાખ્યાન યોજાયું

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત  નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં આજરોજ  અમદાવાદથી આવેલ શ્રી પિયુષ સગરના પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન થયેલ.

ડો.પ્રો.પુષ્પાબેન રાણીપાએ પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી પિયુષ સગરનો પરિચય આપેલ. ત્યારબાદ વક્તાશ્રીએ પોતાના પુસ્તક મિશન ઓફ વિઝનમાં આવનારા ૨૦૫૦ ના વર્ષ સુધીમાં દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કેટલી બદલાયેલ હશે તેની પર પરી કલ્પના સાદ્રશ્ય થાય તેવી રજૂઆત કરી વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યની તકો અને પડકારો વિશે માહિતગાર કરેલ. વિશ્વની સાત શ્રેષ્ઠ મહાન વિભૂતિઓ કે જેમના વ્યક્તિત્વથી તે પ્રભાવિત છે, તેમનો પણ ટૂંકો પરિચય તેમણે આપેલ. વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓ એ જ્ઞાન વિજ્ઞાનની સમજ મેળવેલ તથા પ્રેરણા થકી ઘણું જ જાણવા મળેલ. કાર્યક્રમના અંતે ડો.પ્રો. પુષ્પાબેને આભાર વિધિ કરતાં ભવિષ્યમાં કારકિર્દીના પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓને હાકલ કરેલ. સમગ્ર વ્યાખ્યાનના આયોજન અને સફળતા માટે પ્રિ.ડો.એસ.સી.રવિયા,ડો.પ્રો.પુષ્પાબેન રાણીપા, પ્રો.પાર્થ ગેડીયા તથા સમસ્ત સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/