દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત ગણાત્રા પરિવાર ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/IMG-20231227-WA0003-1140x620.jpg)
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત ગણાત્રા પરિવાર ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયો
દામનગર ના ભાવનાબેન વિનોદરાય ગણાત્રા દંપતી ની ૫૦ મી મેરેજ એનિવર્સીટી એ તેમના પરિવાર ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વ રોગનિદાન કેમ્પ યોજાયો ગુજરાત સરકાર ના આર્યુવેદીક દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદીક ના તબીબી ડો મનીષભાઈ જેઠવા અને અતિ આધુનિક ટેક્નોસેવી સાધનો થી સુસજ્જ રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાયો
ગણાત્રા પરિવાર ના શ્રી મતિ ભાવનાબેન વિનોદરાય બાબુલાલ ગણાત્રા પરિવાર ના પુત્રરત્ન જતીનભાઈ અને રિતેશભાઈ પુત્રવધુ વર્ષાબેન અને છાયાબેન દ્વારા દીપપ્રાગટય કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો આ સેવાયજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા ભરતભાઈ ભટ્ટ જીતુભાઇ બલર જયુભાઈ જોશી બી એલ ચાવડા ધીરૂભાઇ ભગત લાભુભાઈ નારોલા કિશોરભાઈ વાજા મહેશભાઈ પંડયા દિલીપભાઈ પરમાર નારસગભાઈ તાજપર સહિત ના સ્વંયમ સેવકો ની સેવા થી દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં જરૂરિયાતમંદ દર્દી નારાયણો એ આ સેવા યજ્ઞ નો લાભ મેળવ્યો હતો આ નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો ને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ ટીપાં દવા ભોજન પ્રસાદ રહેવા લાવવા લઈ જવા ધાબળો ચશ્મા સંપૂર્ણ મફત અર્પણ થનાર છે
Recent Comments