સાવરકુંડલા શહેરમાં કરૂણા અભિયાન અંતર્ગત જુનાગઢ વન વિભાગનાં સી.સી.એફ. આરાધના સાહુ મેડમ દ્વારા સાવરકુંડલા કંટ્રોલરૂમની મુલાકાત લેવાઈ..
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/IMG-20240115-WA0000-1140x620.jpg)
રાજ્યમાં ઉત્તરાયણનાં પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં સી.સી.એફ. આરાધના સાહુ સાહેબ – જુનાગઢ તથા રાજદીપસિંહ ઝાલા સાહેબ ડી.સી.એફ – ધારી સાવરકુંડલા શહેરની મુલાકાત લઈ ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તથા નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં ઘાયલ થતા પક્ષીઓ તેમજ ઉત્તરાયણ પર્વ પર દોરીથી થતા અકસ્માતોથી બચવા જનજાગૃતિ લાવવા માટે ૧૨૨-શાળાઓના બાળકોને પત્રિકાઓ દ્વારા માહિતી તેમજ યોગ્ય સમજણ આપવામાં આવી હતી.
સાવરકુંડલા શહેર તથા તાલુકામાં પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓને સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા રેસક્યુ કરી વધુ સારવાર માટે વન વિભાગના કંટ્રોલ રૂમ સુધી પહોંચતા કરી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમજ પતંગનાં દોરાથી પશુ-પક્ષી તથા માનવીઓના અકસ્માતો અટકાવવા સાવરકુંડલા શહેરના તમામ માર્ગો ઉપર કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વન વિભાગ નોર્મલ રેંજ – સા.કુંડલાનાં આર.એફ.ઓ. પી.એન.ચાંદુ તથા સાવરકુંડલા શહેર તથા તાલુકામાં છેલ્લાં ઘણાં વર્ષોથી પર્યાવરણ તેમજ વાઈલ્ડ લાઈફ બચાવવા કામ કરતી સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલાનાં ૨૩-સ્વયંસેવક મિત્રો દ્વારા ૧૧-પક્ષીઓનાં જીવનો બચાવ કરવામાં આવ્યો હતો ગત વર્ષની સરખામણીમાં બાળકો તેમજ લોક જાગૃતિના કારણે આ વર્ષે ઘાયલ પક્ષીઓનો દર ઓછો રહ્યો છે. ભવિષ્યમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા માં નિલ આવે તેવા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે
Recent Comments