fbpx
અમરેલી

સાવરકુંડલાના જાબાળ માં રાત્રીના ત્રણ કલાકે પાંચ સિંહો ઘૂસતા અફડાતફડી મચી ગઇ.

ખોરાક અને પાણીની શોધ માં સિંહો હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાના જાબાળ ગામમાં પાંચ સિંહો ગત રાત્રી એ ઘુસી જતા ગામ ના તમામ પાલતુ પશુઓ ગામ મૂકીને ભાગી છૂટ્યા હતા. રાત્રીના ત્રણ કલાકે એક સિંહણ તેમના ચાર સિંહ બાળ ને લઈને  જાબાળ ગામ માં આવી ચડી હતી, ત્યારે રાત્રીના સમયે બહાર ગામ થી આવી રહેલા જાબાળ ના પૂર્વ સરપંચ અને કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ભુપેન્દ્રભાઈ ના ઘર પાસે અફરા તફરી જોવા મળતા ભુપેન્દ્રભાઈ એ તપાસ કરતા અહીં સિંહણ પોતાના નાના નાના ચાર સિંહ બાળ ને લઈ ને ગામ ની શેરીઓ આંટા ફેરા કરી રહી હતી,જેથી ગામના તમામ પશુ ઓ આ સિંહ ની બીકે ગામ મૂકીને ભાગી છૂટયા હતા ત્યારે પૂર્વ સરપંચ ના ઘર પાસેથી આ પશુઓ અને સિંહ પસાર થયા ની ઘટના હાલ સી સી ટી વી મા કેદ થઈ હતી ત્યારે મોડી રાત્રે ત્રણ કલાકે ગામ માં ધબધબાટી બોલતા ગામ લોકો પણ જાગી ગયા હતા ત્યારે આ ગામ ના પશુ ઓ સિંહ ની બીકે ભાગી જતા હાલ આ પશુઓ શોધવા સવારે માલધારી ધંધે લાગ્યા હતા ..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/