શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી ભવ્ય આઠ મી પાલખી યાત્રા
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થયેલ ભવ્ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પહોંચી હજારો શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ હાજરી નો દર્શનીય નજરો સમસ્ત દામનગર શહેર બોપર પછી સ્વંયભુ સજ્જડ બંધ પાલખી યાત્રા ને લઈ અસંખ્ય સાધુ સંતો અને અગ્રણી ઓ સતત ખડે પગે ઉપસ્થિત રહ્યા અઢારેય આલમ શ્રદ્ધાભાવ થી પાલખી યાત્રા ના દર્શન માટે રોડ રસ્તા ની બંને તરફ કતાર બંધ ગોઠવાયા હતા
આઠ હજાર થી વધુ શ્રધ્ધાળુ ભાવિકો એ એક પંગથે મહા પ્રસાદ મેળવ્યો હર હર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે સીદી બાદશાહ નું ધમાલ નૃત્ય અને શંખનાદ ની ધ્વનિ જાલર ના જનકાર અને તોપ થી પુષ્પ વૃષ્ટિ વચ્ચે ભવ્ય પાલખી યાત્રા શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી આફરીન કરતા કરતબ કરતા સિદી બાદશાહ ઓનું ધમાલ નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર સાથે આઠ મી પાલખી યાત્રા યોજાય ન ભૂતો ને ભવિષ્ય એવી અદભુત સફળતા થી ખુશ ખુશાલ દાદા ના ભક્તો માં અનહદ આનંદ સમગ્ર શહેર શિવમય બન્યું
અકડેઠઠ માનવ મેદની સાથે પાલખી યાત્રા ના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ચા શરબત ઠંડા પીણાં ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા વ્યવસ્થા કરાય આઠ હજાર થી વધુ ભાવિકો એ અદભુત વ્યવસ્થા વચ્ચે મહા પ્રસાદ મેળવી ખૂબ ધન્યતા વ્યક્ત કરી પાલખી યાત્રા ના સમગ્ર રૂપ ઉપર સ્થાનિક પોલીસ જવાનો નો સુસ્ત પહેરો અસંખ્ય સ્વંયમ સેવકો દ્વારા પીવા ના પાણી થી લઈ પાર્કિગ સુધી ની ઝડબે સલાક વ્યવસ્થા જોવા મળી પાલખી યાત્રા દરમ્યાન સ્વંયમ શિસ્ત એક તણખલું પણ મંદિર પરિસર માં જોવા ન મળે તેવી સ્વચ્છતા કરતા ભાવિકો અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય આઠ મી પાલખી યાત્રા બપોર ના ૩-૦૦ કલાકે શ્રી વેજનાથ મંદિર થી પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૩૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે વિસર્જન કરાય ધ્વજા રોહણ મહાઆરતી માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ માં દિવ્ય અને ભવ્ય પાલખીયાત્રા સંપન્ન થઈ સ્થાનિક ધારા સભ્ય સહિત આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો ગજેરા નિર્મળસિંહ ખૂમાણ સહિત ના અગ્રણી ઓ એ ભવ્ય પાલખી યાત્રા માં હાજરી આપી હતી
Recent Comments