૧૫ ઓગસ્ટે અમરેલી જિલ્લા અદાલતમાં સ્વાતંત્ર પર્વ ઉજવણી કાર્યક્રમ યોજાશે
તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે અમરેલી જિલ્લા અદાલતના કંપાઉન્ડમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. જિલ્લાની તમામ અદાલતના ન્યાયાધીશશ્રીઓ, ન્યાયાલયમાં ફરજ બજાવતા કર્મયોગીશ્રીઓ, વકીલશ્રીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રીના વરદ હસ્તે ધ્વજ આરોહણ થશે, તેમ અમરેલી જિલ્લા અદાલતના રજિસ્ટ્રારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments