fbpx
અમરેલી

સાવરકુંડલા બાર એસોસિએશન દ્વારા અનિશ્ચિત સમય સુધી કોર્ટ કાર્યવાહી નો બહિષ્કાર

સાવરકુંડલા બાર એસોસીએશન – સાવરકુંડલા દ્વારા તારીખ : ૧૩/૦૯/૨૦૨૪ નાં રોજ સાવરકુંડલા વકીલ મંડળની જુદા જુદા મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ અને તેમાં સર્વાનુમતે નીચે મુજબનાં ઠરાવ કરવામાં આવેલ. સાવરકુંડલા કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી કાયમી સરકારી વકીલ નથી, અને કલેકટર દ્વારા ત્રણ દિવસ ધારીનાં સરકારી વકીલ નો સોમ, મંગળ, બુધ નો હુકમ થયેલ છે અને ગુરુ, શુક, શનિ માટે લીલીયાનાં સરકારી વકીલ નો હુકમ થયેલ છે. જેમાં લીલીયાનાં સરકારી વકીલ ની સતત રીતે નિયમિત ગેરહાજરીને કારણે નામદાર અદાલત પોતાની વિવેકબુધ્ધિની સત્તા વાપરીને જામીન અરજી અંગે તેમજ મુદ્દામાલ અરજી અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નામદાર સાવરકુંડલા કોર્ટ કરતી નથી. જેથી રજુ કરેલ આરોપીઓને જેલ વોરંટથી જેલમાં મોકલવામાં આવતા હોય છે અને લોકો ન્યાયથી વંચિત રહેતા હોય છે.  આવા અનેક મુદ્દાઓને લઈને કોર્ટ કાર્યવાહી થી અનિશ્ચિત સમય સુધી કોર્ટ અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહી નો બહિષ્કાર કરવાનો સાવરકુંડલા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે તેમ પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ રાઠોડ ની યાદીમાં જણાવેલ છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/