fbpx
અમરેલી

અમરેલીના વડેરા, ઈશ્વરીયા, સાવરકુંડલાના વિજયાનગર, બાબરાના અમરાપર સહિતના ગામોમાં સાફ-સફાઈ ઝુંબેશ

તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.

તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ શાક માર્કેટ, ખાણી પીણી બજારો, રેસ્ટોરન્ટ, વગેરે જગ્યાની સફાઈ, એકત્રિત કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, સ્થાનિક વેપારી અને વિક્રેતાઓને કચરાંના એકત્રીકરણ બાદ ભીના અને સૂકાં કચરાનો યોગ્ય નિકાલ બાબતે સમજ આપવી, ગ્રામ્ય કક્ષાએ જાહેર બજારો અને જાહેર સ્થળોની વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત અમરેલીના વડેરા, ઈશ્વરીયા, સાવરકુંડલાના વિજયાનગર, બાબરાના અમરાપર સહિતના ગામોમાં સાફસફાઈ કરવામાં આવી હતી.

જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જાહેર બજારોમાં સફાઈ હાથ ધરી એકત્રિત થયેલા કચરાંનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે નાગરિકોને સમજ આપવામાં આવી હતી. ખાંભા તાલુકાના જીકીયાળી ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે સ્વચ્છતાલક્ષી નાટકની પ્રસ્તુતિ પરંપરાગત માધ્યમથી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા હી સેવા અભિયાનની જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર અમરેલી જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/