fbpx
ભાવનગર

સણોસરા દાનેવ આશ્રમ ખાતે રવિવારે યોજાશે પરમ ધર્મસંસદ

જગદગુરુ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આશિષ સાથે યોજાશે ગુજરાત પ્રદેશ સંમેલન

શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં રવિવારે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના આશિષ સાથે પરમ ધર્મસંસદ ૧૦૦૮ ગુજરાત પ્રદેશ સંમેલન યોજાશે, જેમાં સંતો અને વિદ્વાનો જોડાનાર છે.

રવિવારે શ્રી દાનેવ આશ્રમ સણોસરા ખાતે મહંત શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલકુબાપુના સાનિધ્ય સાથે શારદાપીઠના દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તથા જ્યોતિષપીઠના પ્રવર ધર્માધીશ સ્વામી શ્રી ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા સાથે પરમ ધર્મસંસદ યોજાશે.

પરમધર્માધીશ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના આશિષ સાથેના આ ધર્મસંસદ આયોજનમાં સંતો અને વિદ્વાનો જોડાનાર છે. અહીંયા શ્રી નિરુબાપુની ધર્મસેવા સંદર્ભે વિશેષ પદવી સન્માન એનાયત થનાર છે.

રવિવાર તા.૧૪ના સવારે યોજાનાર આ ધર્મસંસદ સંમેલન આયોજનમાં જગ્યાના શ્રી પ્રવિણદાસજી મહારાજ સાથે શ્રી વિક્રમગીરીજી મહારાજ અને શ્રી ભક્તિગિરિજી માતાજી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/