ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યત્રિવેણી
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તા. ૨૦-3-૨૦૨૨ના રોજ એચ. કે. સભાગૃહમાં સાહિત્યત્રિવેણી કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામીના ગઝલસંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું વિમોચન કરતા જણાવ્યું કે ‘ઉત્તમ ગઝલસંગ્રહોમાં આ પુસ્તક સ્થાન પામે એવું છે.’ ઉત્તરપ્રદેશના પૂર્વ શિક્ષણ મંત્રી અને હિન્દી સાહિત્યભારતીના આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી રવીન્દ્ર શુક્લ તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને જાણીતા શિક્ષણવિદ જીતુ જોશીની હાજરી હતી. સુપ્રસિદ્ધ કવિ સર્વશ્રી વિનોદ જોશીએ કાવ્ય વિભાગના અધ્યક્ષ હતા. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, તુષાર શુક્લ, કાજલ ઓઝા-વૈદ્ય, અંકિત ત્રિવેદી, રમેશ ચૌહાણ અને રક્ષા શુક્લ કાવ્યપાઠ કર્યો હતો. સંચાલન તેજસ મજમુદારે અને કાવ્યાસ્વાદ પ્રણવ પંડ્યાએ કર્યો હતો. સિંધી અને હિન્દી સાહિત્યના સર્જકોનું સન્માન થયું હતું. મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments