તળાજા તાલુકાનાં રાળગોન ગામે આવેલ શ્રીગણેશ નર્સિંગ કોલેજની બહેનોએ લીધી પ્રતિજ્ઞા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230801-WA0040-1140x620.jpg)
તળાજા તાલુકાનાં રાળગોન ગામે આવેલ શ્રી ગણેશ નર્સિંગ કોલેજ A.N.M નર્સિંગમાં અભ્યાસ કરતી બહેનો દ્વારા ઓથ સેરેમની ( પ્રતિજ્ઞા)તેમજ પ્રથમ વર્ષમાં G.N.C કાઉન્સીલ દ્વારા લેવાયેલ પરીક્ષા ના પરિણામમાં ભાવનગર જિલ્લામાં બીજો અને ત્રીજો નંબર મેળવી કોલેજ નું ગૌરવ વધારેલ છે એટલે , કોલેજ દ્વારા નંબર મેળવનાર બહેનોનો ઈનામ વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ ઉપરાંત તમામ બહેનો દર્દીનારાયણની નિષ્ઠાથી સેવા કરે તેમજ પોતે લીધેલ પ્રતિજ્ઞાનુ પાલન કરે તેવુ માર્ગદર્શન આપવામાં આવેલ.કાર્યક્રમને અનુસંધાને આમંત્રિત મહેમાનોમાં ભીમજીભાઈ પંડયા તળાજા માર્કેટિંગ યાર્ડ ચેરમેન,મંગાભાઈ બાબરીયા જિલ્લા પંચાયત દંડક, સદ્દવિચાર હોસ્પિટલના ડૉક્ટર ગણપતભાઇ બલદાણીયા,ડૉ છોટાળા સાહેબ,ડૉ,શરદભાઈ પંડયા,તાલુકા સદસ્ય હામુભાઈ કોબાડ,( ધરાઈ )જાગાભાઈ બારૈયા ( બગદાણા ) રાજુભાઈ લાધવા ( સરપંચશ્રી રાળગોન ),વિજયભાઈ ધાંધલયા અમર ઓટો ( તળાજા) તેમજ આજુ બાજુની ગ્રામ પંચાયતના આગેવાનો,વાલીશ્રીઓએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
Recent Comments