સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ગારીયાધાર બસ સ્ટેશનની સફાઈ કરાઇ
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.
આ ઉપરાંત તળાજા તાલુકાના માંડવા ગામે બસ સ્ટેન્ડ, ઊગલવાણમાં બાવળ કટિંગ, વલ્લભીપુરના વીરડી ગામમાં બાવળ કટીંગ, મહુવા તાલુકા કોંજળી ગામે સફાઈ કામગીરી, ભૂતેશ્વર ગામે સફાઇ કામગીરી, મહુવાના આંગણકા ગામે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments