શિવ શક્તિ ક્રિકેટ એકેડમી તળાજાની પ્રથમ વર્ષે જ મોટી સિદ્ધિ: એકેડમીના નવ જેટલા બાળકો ભાવનગરનું ડિસ્ટ્રીક લેવલે ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરશે.
એકેડમીનો આગામી સમર કેમ તથા એકેડમીનું નવું સત્ર પહેલી મે 2024 થી શરૂ થશે. કહેવાય છે કે “ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” આ વિધાનને સાર્થક કરતા તળાજાના ગુણુભા ગોહિલ લગભગ 10 – 11 મહિના પહેલા તળાજા જેવા નાના સેન્ટર પર શરૂ કરવામાં આવેલી શિવ શક્તિ ક્રિકેટ એકેડમીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ દ્વારા યોજવામાં આવેલા under-14 under-16 તથા under- 19 માટેના સિલેક્શનમાં એક જ એકેડમીના નવ જેટલા બાળકો સિલેક્ટ થતા તળાજા તાલુકાના ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી સુવાસ ઉમેરાણી છે. U-14 અને U-16 માં ડિસ્ટ્રિક્ટ લેવલે આ વિસ્તારના બાળકો ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરશે એવું પ્રથમ વાર છે.
તળાજા અને આજુબાજુના ગામડામાંથી મધ્યમ વર્ગના બાળકોની અથાગ મહેનત તથા કોચ ગુણુભાનું સચોટ અને અનુભવયુક્ત માર્ગદર્શન દ્વારા આ બાળકો સિલેક્ટ થયા છે. આ બાળકોમાં સરવૈયા અક્ષરાજ, સરવૈયા જયવીર ,પરમાર મિહિર, ભટ્ટ અર્ચિત , ભાલીયા પ્રકાશ , સરવૈયા પુષ્પરાજ , ઝાલા રુદ્ર , બારૈયા સોહમ, ભાલીયા વિશાલ. આ એકેડમીના બાળકો આગામી સમયમાં જિલ્લાની ટીમોમાં ભાગ લઈ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. તળાજા તાલુકાના સીઝન બોલ ક્રિકેટને જીવંત કરી ગુણુભા ગોહિલે રમત ગમત ક્ષેત્રે આ વિસ્તારમાં એક આદર્શ કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં આ એકેડમીના બાળકો રણજી ટ્રોફી, ipl અને નેશનલ ટીમમાં પણ જોવા મળે તેમાં કોઈ શંકા નથી.
Recent Comments