fbpx
ભાવનગર

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાઓ બની હતી અને તેમાં અનેક વ્યક્તિઓનાં મોત નિપજયા હતા.  બોટાદ નજીક આવેલા તરઘરા ગામમાં રહેતા દંપતિને બાઈક અકસ્માત નડયો હતો અને તેમાં બંનેનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે બોટાદ સ્થિત રામકથાના શ્રોતાઓ (મહેતાભાઈ) દ્વારા પહોંચાડવામાં આવશે.

અન્ય એક કરુણ ઘટનામાં રાજકોટ ના ખોખડદડ ગામનાં બે યુવાનોનાં નદીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. ( મહેન્દ્ર ભાઈ અતુલ ઓટો) દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. અકસમાત ની ત્રીજી ઘટના ખંભાળીયાના બેડીયાવાડ માં રહેતા વ્યક્તિ નું અકસ્માતમાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે. વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ દિલસોજી પાઠવી છે. કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડ ની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/