ચૂંટણી આચાર સંહિતા રંઘોળા નિયંત્રણ કક્ષ
લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે નિયંત્રણ કક્ષ ગેરકાયદે હેરફેર સામે થઈ રહેલ વાહન તપાસ ઈશ્વરિયા શનિવાર તા.૪-૫-૨૦૨૪ લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે કાર્યરત નિરીક્ષણ કક્ષ દ્વારા વાહન તપાસ થઈ રહી છે.લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાની અમલવારી માટે તંત્ર દ્વારા ચુસ્ત કાર્યવાહી થતી રહી છે અને ગેરકાયદે હેરફેર સામે તપાસ કરવામાં આવી રહી છે.ઉમરાળા તાલુકાના તંત્રવાહકો દ્વારા રંઘોળા પાસે રાજકોટ ભાવનગર ધોરીમાર્ગ પર ખાસ ચોકી ઉભી કરીને નિયંત્રણ કક્ષ દ્વારા સંબંધિત તપાસ ચાલી રહી છે.ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર સાથે ઉમરાળા મામલતદાર શ્રી કચેરી, સંબંધિત અધિકારીઓ અને પોલીસ તથા ગ્રામરક્ષક દળ દ્વારા અહીથી પસાર થતાં વાહનોની નોંધણી કરી તેની ચકાસણી કરી કોઈ ગેરકાયદે રોકડ, નશીલા પદાર્થો કે હથિયારો વગેરેનાં થતાં પરિવહન સામે કાર્યવાહી કરી રહેલ છે.
Recent Comments