fbpx
ભાવનગર

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર(વાયુ)ની ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરાઈ

ભારતીય વાયુસેના દ્વારા અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે.જેમાં વિજ્ઞાન વિષયક પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલા ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેંટેશન ટેકનોલોજી/ ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ૫૦% જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે.

વિજ્ઞાન વિષય સિવાયની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. ઉમેદવારની જન્મતારીખ તા.૦૩/૦૭/૨૦૦૪ થી તા.૦૩/૦૧/૨૦૦૮ વચ્ચે હોવી જોઈએ. પુરુષ માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨.૫ સે.મી. સ્ત્રી માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જરૂરી. પરીક્ષા ફી રૂ.૫૫૦/- છે. ઓનલાઈન પરીક્ષા તા.૧૮/૧૦/૨૦૨૪ થી શરૂ થશે. અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે તા.૨૮/૦૭/૨૦૨૪ સુધીમાં ઓફીશ્યલ વેબસાઈટ: www.agnipathvayu.cdac.in ની મુલાકાત લેવાની રહેશે તેવું મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts