નવરાત્રી પર્વ જાળિયામાં કુમારિકા પૂજન વંદના
નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના શ્રી શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે યોજાયો કાર્યક્રમ જાળિયા ગુરુવાર તા.૧૦-૧૦-૨૦૨૪ સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શ્રી શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે શ્લોકગાન સાથે શક્તિ સ્વરૂપા કુમારિકાઓની પૂજન વંદના કરવામાં આવી. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે આશ્રમમાં ચાલતાં નવરાત્રી યજ્ઞ સાથે શાળાની બાળાઓને તિલક પૂજન કરી માંગલિક સુશોભન અને શૈક્ષણિક સામગ્રી ભેટ અર્પણ આવી હતી.
Recent Comments