fbpx
બોલિવૂડ

અયોધ્યાના મહંતે શાહરૂખ ખાનનું તેરમું કર્યું, કહ્યું “આનાથી જેહાદ ખતમ થશે”

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને જીવતા સળગાવી દેવાની ધમકી આપનાર અયોધ્યાના મહંત પરમહંસ દાસે સોમવારે તેરમું કર્યું હતુ અને કહ્યું કે આનાથી જેહાદ ખતમ થઈ જશે. તેણે માટીના વાસણને તોડીને તેરમી વિધિ કરી જેના પર શાહરૂખ ખાનની તસવીર ચોંટાડવામાં આવી હતી. તેણે પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગમાં બિકીની પહેરેલી દીપિકા પાદુકોણ સામે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહંત પરમહંસ દાસે જણાવ્યું હતું કે તેરમો અંતિમ સંસ્કારના બરાબર ૧૩ દિવસ પછી કરવામાં આવે છે, તેવી જ રીતે આજે આ વિધિ કરવામાં આવી છે. તપસ્વી મહંત પરમહંસ દાસે દાવો કર્યો હતો કે આનાથી ‘જેહાદ’નો અંત આવશે. તેણે આરોપ લગાવ્યો કે શાહરૂખ દેશમાં નફરત ફેલાવી રહ્યો છે. ભારતમાં જેહાદ સંપૂર્ણપણે બંધ થવી જાેઈએ. જેહાદના કારણે લોકો અને દેશની બહેન-દીકરીઓના જીવ જાય છે. ૧૩ દિવસ પહેલાં અમે શાહરૂખ ખાનનું પૂતળું બાળ્યું હતું, હવે ૧૩ દિવસ પછી અમે જેહાદી શાહરૂખનું તેરમું કર્યું છે.

તેઓ માને છે કે આપણે બીજાની શ્રદ્ધાનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણી આસ્થાનું સતત અપમાન થઈ રહ્યું છે. તેને કોઈપણ સંજાેગોમાં સાંખી લેવામાં આવશે નહીં. તેણે કહ્યું હતું કે, ‘શાહરુખ, કોઈ કિંગ-વિંગ નથી, આ ફિલ્મ જેહાદી છે અને શાહરુખ જેહાદીઓનો નેતા છે.’ મહંત પરમહંસ દાસે કહ્યું, ‘હું લોકોને અપીલ કરું છું કે તે થિયેટરોમાં આગ લગાડો જ્યાં ‘પઠાણ’ બતાવવામાં આવશે. બોલિવૂડ અને હોલીવુડ સતત સનાતન ધર્મની મજાક ઉડાડવા અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરે છે. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે બિકીની પહેરી હતી, જેનાથી સંતો અને સમગ્ર દેશની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. શાહરૂખ ખાન સતત સનાતન ધર્મની મજાક ઉડાવી રહ્યો છે. ગીતમાં કેસરી બિકીની પહેરીને આવા સ્ટેપ્સ કરવાની શું જરૂર હતી?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/