જાેન અબ્રાહમે સાજિદની કોમેડી ફિલ્મ ફગાવી દીધી, શું હતું કારણ?…
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/File-01-Page-17-6-1140x620.jpg)
પઠાણ ફિલ્મની સફળતાના પગલે શાહરૂખ ખાનની સાથે જાેન અબ્રાહમની સ્ટાર વેલ્યુ પણ અકબંધ રહી છે. જાેન અબ્રાહમે પઠાણમાં વિલનનો રોલ કર્યો હતો. આ ફિલ્મે રૂ.૫૦૦ કરોડથી વધુની આવક કરતાં શાહરૂખની સાથે જાેનનો કોન્ફિડન્સ પણ વધ્યો છે. જાેન અબ્રાહમને સાજિદ ખાને કોમેડી એન્ટરટેઈનર ફિલ્મ ઓફર કરી હતી. જાે કે જાેને કોમેડી ફિલ્મની ઓફર ફગાવી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ સાજિદ ખાન ૧૦૦% ટાઈટલથી કોમેડી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ બનાવવા માગતા હતા. જાેને અગાઉ કોમેડી ફિલ્મો કરી હોવાથી સાજિદ ખાને તેમને જ લેવા માગતા હતા.
જાે કે જાેને સાજિદ ખાનની ઓફર ફગાવી દીધી હતી. જાેનની ઈચ્છા હવે માત્ર એક્શન ફિલ્મો કરવાની છે. આ માટે તેમણે અગાઉ આવારા પાગલ દિવાના ૨ પણ નકારી હતી. રિપોર્ટ્સ મુજબ, સાજિદ ખાનની ૧૦૦% જાેને સાઈન કરી લીધી હતી. જ્યારે આવારા પાગલ દિવાના ૨ માટે અંતિમ તબક્કાની વાતચીત ચાલતી હતી. પઠાણની સફળતા બાદ આખી સ્થિતિ બદલાઈ અને એક્શન ફિલ્મો પ્રત્યેનો જાેનનો લગાવ છલકાવા માંડ્યો. જાેને એક્શન ફિલ્મો માટે પ્રયાસ હાથ ધર્યા અને યશરાજ ફિલ્મ્સ સાથેની વાતચીત આગળ વધી છે. આ ઉપરાંત અન્ય એક પ્રોડક્શન હાઉસ સાથે પણ જાેન સંપર્કમાં હોવાનું કહેવાય છે.
Recent Comments