fbpx
બોલિવૂડ

સોનાક્ષી સિંહના ઝહીર ઇકબાલ સાથે લગ્ન ૨૩ જૂન ના રોજ મુંબઈ ખાતે યોજાશે તેવી વાતો વહેતી થઈ

બૉલીવુડના પીઢ અભિનેતા અને નેતા શત્રુઘ્‌ન સિંહની પુત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે આ કપલની લગ્નની તારીખો જાહેર થઈ ગઈ હોવાની વાત વહેતી થઈ છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, આ કપલ આજ મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. સોનાક્ષી સિન્હાના માતા-પિતા શત્રુઘ્‌ન સિન્હા અને પૂનમ સિન્હા તેમની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનાક્ષી અને ઝહીર ૨૩ જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ દંપતીએ ડેસ્ટિનેશન મેરેજમાં જવાને બદલે મુંબઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, લગ્ન મુંબઈમાં થશે. જોકે, લગ્નમાં દંપતીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવશે. જો કે, લગ્ન પછી, આ દંપતી એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.

જો કે સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવારે હજુ સુધી આ અહેવાલનો જવાબ આપ્યો નથી. સોનાક્ષી અને ઝહીર છેલ્લા ૪-૫ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી. બંનેએ હંમેશા કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/