fbpx
બોલિવૂડ

૬ વર્ષ પછી ફરી ટીવી પર વાપસી કરી રહ્યો છે શો, જાણો ક્યારે શરુ થશે ?

જાે કેટલાક લોકપ્રિય ટીવી શોનો ઉલ્લેખ કરવામાં આવે તો ‘ઝ્રૈંડ્ઢ’નું નામ ચોક્કસ લેવામાં આવશે. ‘ઝ્રૈંડ્ઢ’ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કર્યું છે. ત્યારે હવે આ શોને પસંદ કરનારાઓ માટે સારા સમાચાર છે. ખરેખર, ઝ્રૈંડ્ઢ શો ફરી એકવાર ટીવી પર પાછો ફરી રહ્યો છે. તેની પ્રથમ ઝલક સામે આવી છે અને લોકોને ઉત્સાહિત કરી દીધા છે. ઝ્રૈંડ્ઢ શોમાં લોકોના ફેવરિટ એસીપી પ્રદ્યુમન, ઈન્સ્પેક્ટર દયા અને ઈન્સ્પેક્ટર અભિજીતની ઝલક જાેયા બાદ તેની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. ફરી એકવાર ઝ્રૈંડ્ઢ શો ટીવી પર પાછો શરુ થવા જઈ રહ્યો છે. એસીપી પ્રદ્યુમન ઉપરાંત ઈન્સ્પેક્ટર દયા અને અભિજીત પણ તેમાં સામેલ છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ઝ્રૈંડ્ઢની નવી સિઝનનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૪થી શરૂ થવાનું છે. વાસ્તવમાં, લોકોની ભારે માંગ બાદ, નિર્માતાઓએ આ શોની નવી સીઝન પરત લાવવાનો ર્નિણય કર્યો છે.

રિપોર્ટ અનુસાર ઝ્રૈંડ્ઢનું પ્રોડક્શન વર્ક પણ શરૂ થઈ ગયું છે. આખી કાસ્ટ આવતા મહિનાથી શૂટિંગ શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોનું શૂટિંગ ૧૫ નવેમ્બરની આસપાસ શરૂ થશે. આ કલ્ટ ડિટેક્ટીવ સિરિઝ ડિસેમ્બર, ક્રિસમસ અથવા નવા વર્ષના સમયગાળામાં પ્રસારિત કરવામાં આવશે. વાસ્તવમાં, લોકો આ ટીવી શોને લાંબા સમયથી પસંદ કરે છે. ઝ્રૈંડ્ઢ વર્ષ ૨૦૧૮માં બંધ થઈ ગયું હતું. છેલ્લો એપિસોડ ૨૦ વર્ષ સુધી સતત ચાલ્યા પછી ૨૦૧૮માં આવ્યો હતો. જાે કે, રીપીટ શો હજુ પણ ચાલે છે. તેના ૧૫૪૭ એપિસોડ છે, જેને ઘણો પ્રેમ મળ્યો છે. ઝ્રૈંડ્ઢની વાપસીના સમાચાર સાંભળ્યા બાદ ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ર્જીહઅ ટીવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ‘ઝ્રૈંડ્ઢ’ શોની પ્રથમ ઝલક શેર કરી છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે શોનો પ્રોમો ૨૬ ઓક્ટોબર એટલે કે શુક્રવારે આવવાનો છે. જે બાદ આના પર ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મારું બાળપણ પાછું આવશે.

તમને જણાવી દઈએ કે પ્રખ્યાત ટીવી શો ‘ઝ્રૈંડ્ઢ’ વર્ષ ૧૯૯૮માં શરૂ થયો હતો. આ શોએ ૨૦ વર્ષથી વધુ સમયથી ટીવી જગતમાં લોકોનું મનોરંજન કર્યું હતું. આ શો વર્ષ ૨૦૧૮માં બંધ થઈ ગયો હતો. હવે ફરી એકવાર શો ‘ઝ્રૈંડ્ઢ’ ૬ વર્ષ પછી ટીવી પર વાપસી કરવા જઈ રહ્યો છે. લોકોને એસીપી પ્રદ્યુમન, ઈન્સ્પેક્ટર દયા અને ઈન્સ્પેક્ટર અભિજીતના પાત્રો ખૂબ પસંદ આવ્યા અને તેમના સંવાદો બોલે છે. નોંધનીય છે કે શોમાં ઇન્સ્પેક્ટર ફ્રેડરિકનો રોલ કરનાર દિનેશ ફડનીસનું વર્ષ ૨૦૨૩માં નિધન થયું હતું. નવીનતમ મનોરંજન સમાચાર માટે બોલીવુડલાઇફ સાથે રહો.

Follow Me:

Related Posts