33 દિવસ સુધી સાવધાન રહે ‘આ’ રાશિના લોકો, નહિં તો અસ્ત શનિના પ્રભાવથી થશે…
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/featured_1642850463.jpg)
ન્યાયના દેવ કહેવાતા શનિ દેવ 22 જાન્યુઆરીના રોજ એટલે કે આજ રોજ મકર રાશિમાં અસ્ત થશે અને પછી 24 ફ્રેબુઆરી 2022ના રોજ ઉદય થશે. 33 દિવસની આ અવધિમાં 12 રાશિઓના જીવનમાં અનેક ઉથલ-પાથલ મચાવશે. જો કે આ 8 રાશિના જાતકો પર આ દિવસોમાં વિશેષ સાવધાની રાખવાની રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ અધિક રીતે પ્રભાવિત રહી શકે છે. તો જાણી લો તમે પણ અસ્ત રાશિની અસર તમારી પર શું થશે.
આ રાશિના જાતકો સાવધાન રહે
મેષ
મેષ રાશિના જાતકો માનસિક તણાવથી પીડાઇ શકે છે. આ સાથે વધતી પ્રગતિમાં તમને અનેક વિધ્નો પણ આવી શકે છે. તમારા મનગમતા કામમાં પણ તમને મન નહિં લાગે અને બેચેની જેવું રહેશે.
કર્ક
કર્ક રાશિના જાતકોને આ દિવસોમાં થોડુ સાવચેતીથી રહેવુ પડશે. કાર્યસ્થળ પર કામનું પ્રેશર વધારે પ્રમાણે રહેશે તેમજ તમારા ઉપરી લોકો સાથે સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે.
તુલા
તુલા રાશિના લોકો પોતાના કાર્ય પર ખાસ કરીને ધ્યાન આપે, જેથી કરીને કોઇ અડચણ ના આવે. ગમે તેટલું કામ કરશો તો પણ તમને તમારા કામમાં સંતોષ નહિં મળે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયમાં કેરિયરની લાઇનમાં અનેક અડચણો આવી શકે છે. તમારી કામની ગાડી ધીરી પડી શકે છે. કાર્યક્ષેત્ર પર કામ કરવામાં તમારું મન નહિં લાગે.
ધન
ધન રાશિના લોકોને વ્યક્તિગત જીવન પર અનેક સમસ્યાઓ આવી શકે એમ છે. આ સાથે જ તમે ગમે તેટલું મન લગાવીને કામ કરશો તો પણ તમને સફળતા નહિં મળે અને નિરાશ થઇ જશો. આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમારે મન મક્કમ કરવુ પડશે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે શનિ તમારા પ્રથમ તેમજ બારમા ભાવના સ્વામી છે અને તેઓ બારમામાં સ્થિત છે. આ કારણે કુંભ રાશિના લોકોને કેરિયરમાં, આર્થિક જીવનમાં તેમજ આ સાથે જોડાયેલી અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મીન
મીન રાશિના જાતકોને આ સમયમાં ખોટો ખર્ચો વધુ પ્રમાણમાં રહેશે. આ સાથે જ મીન રાશિના જાતકોને આ દિવસોમાં અનેક પ્રકારના વિધ્નો પણ આવી શકે છે.
Recent Comments