ક્રિભકોના હઝીરા પ્લાન્ટની મુલાકાતે રાષ્ટ્રિય સહકારી નેતા – NCUI ના ચેરમેન દિલીપ સંઘાણી


ઉત્પાદન પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ માહીતી મેળવી – સૂચનો કર્યા મહિલા સહકારી આગેવાન સુશ્રી ગીતાબેન સંઘાણી , સુરેશભાઈ દવે , હિંમતભાઈ સોજીત્રા , ગોરધનભાઈ સંઘાણી , ભાવેશ રાદડીયા સહિતના લોકો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા બીજને મહત્વનું પોષણ પુરૂ પાડતુ રાસાયણીક ખાતર ખેતી અને ખેત ઉત્પાદનમાં ખેડૂતોને સહાયક પુરવાર થઈ રહેલ છે . ગુજરાતના હઝીરા ખાતે આવેલ ક્રિભકો પ્લાન્ટની રાષ્ટ્રિય સહકારી આગેવાન – એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોએ મૂલાકાત લઈ તૈયાર થતા યુરીયા ખાતરની ઉત્પાદન પ્રક્રિયા નિહાળી ઝીણામાઝીણી માહિતી મેળવી હતી અને તે અંગે કેટલાક જરૂરી સૂચનો પણ કરવામાં આવેલ હતા . સુરત પાસેના હઝીરા સ્થિત યુરીયા ખાતર પ્લાન્ટની સંઘાણીની મૂલાકાત વેળા તેમના ધર્મપત્ની અને અગ્રણી મહિલા સહકારી આગેવાન સુશ્રી ગીતાબહેન સંઘાણી , સુરેશભાઈ દવે , હિંમતભાઈ સોજીત્રા , ગોરધનભાઈ સંઘાણી , ભાવેશભાઈ રાદડીયા સહિત પ્લાન્ટ અધિકારીઓ ઉપસ્થિત રહયા હોવાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે . રાસાયણીક ખાતરના વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન અસરો , વિવિધ યોજનાઓથી જનલાભાન્વીતા અને ઉપયોગીતા સાથોસાથ સહકારી વિકાર અને લોકભોગ્ય અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી . ટ્રસ્ટ મીટીંગ પૂણ્ય થયે ઈફકો પ્લાન્ટની મુલાકાત , કામગીરી અને માળખાકીય સુવિધાઓ નિહાળવામાં આવી હતી તેમ કાર્યાલયની યાદીમાં જણાવેલ છે .
Recent Comments