કોસાડ આવાસમાં બે ઓટોરિક્ષા અને બે મોપેડમાં આગ લાગતાં ભાગદોડ મચી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/07/Surat-Rickshaw-Aag.jpg)
સુરતના કોસાડ આવાસમાં મધરાત્રે બે ઓટોરિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માડતાં ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે ૩ વાગ્યે સીએનજી રિક્ષા જાેરદાર ધડાકા સાથે સળગી ગઈ હતી, જેથી ઊંઘમાંથી ઊઠીને બહાર દોડી આવેલા લોકો પૈકી સુરેશ નામના યુવાને આગની લપેટમાં આવેલાં વાહનોને જાેઈ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી દીધી હતી. જાેકે ફાયર આવે એ પહેલાં તમામ વાહનો સળગીને ખાખ થઈ ગયાં હતાં.સુરેશ સેવરે (એક્ટિવા મોપેડનો માલિક)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે ૩ વાગ્યા પછીની હતી.
અચાનક જાેરદાર ધડાકાનો અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જાેતાં સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી રહ્યાં હતાં. લોકો પણ બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરતાં બન્ને વિભાગ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે આવું પહેલીવાર થયું છે, જાેકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. રિક્ષા નંબર જીજે-૦૫-વીવી-૬૫૦૦ના માલિક વિજય શંકાર પાંડે, રિક્ષા નંબર જીજે-૦૫-એવાય-૨૫૬૭ના માલિક પ્રકાશ સરજુભાઈ, એક્સિસ નંબર જીજે-૦૫ એચડબલ્યુ-૧૨૩૯ના માલિક જયશ્રીબેન સુરેશભાઈ દેવડે, એક્ટિવા નંબર જીજે-૦૫-એચટી-૧૪૮૦ના માલિક અરુણ પ્રધાન હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments