fbpx
ગુજરાત

ભાભીને સળગાવી દેનારા દિયરને આજીવન કેદની સજા ફટકારતી નડીયાદ કોર્ટ

ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ગામે ઘરમાં પાણી પડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં દિયર દ્વારા હત્યાના ઈરાદે ક્રૂરતાપૂર્વક પોતાના ભાભીને કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે આરોપી વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપી ડાહ્યાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારની રકમનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

બે વર્ષ અગાઉ ૨૭/૬/૨૦૧૯ના રોજ ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ભાથીજી મંદિર પાસેના ઘરનો મોભ તૂટી ગયેલો હોય અને વરસાદનું પાણી મૃતક ભૂરીબેનના ઘરમાં પડતું હતુ. જે બાબતે ભૂરીબેને પોતાના દિયર આરોપી ડાહ્યાભાઈને ઠપકો કરતાં આરોપીએ ભૂરી બેનને ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

ભૂરીબેને અપશબ્દો બોલવાની ના પાડતા ડાહ્યાભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈને મારી નાખવાના ઇરાદે ઘરમાંથી કેરોસીન ભરેલું ડબલું લાવી ભૂરીબેનના શરીર પર છાંટી દીવાસળી સળગાવી ભૂરીબેન પર નાખી આગ લગાડી દીધી હતી. ભૂરીબેન શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેમને પ્રથમ સેવાલિયા સીએચસી હોસ્પિટલ ખાતે ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વડોદરા જીજીય્ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભૂરીબેનનું ૩૦/૬/૨૦૧૯ના રોજ મોત નિપજ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/