૭ કરોડના ખોટા બીલો બનાવી ટેક્સચોરી કરનારી ગાંધીધામની છ જેટલી પેઢીઓ પર તવાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/02/featured_1645098740-1080x620.jpg)
ગાંધીધામમાં કેન્દ્રીય જીએસટી વિભાગ દ્વારા કોલસાનો વેપારના ફૈક ઈનવોઈસ બનાવનાર શહેરની ટ્રેડર પેઢીના કૌભાંડને ઉજાગર કર્યો હતો . તપાસમાં કુલ 7 કરોડના ખોટા બીલ ઉભા કરાયા હોવાનું ખૂલ્યું હતું , ત્રણ કરોડ તેમાંથી જમા કરાવાયા હતા . જીએસટી લાગુ થયા બાદથી એક યા બીજી રીતે કાયદાની છટક બારીઓ ગોતીને દેશની તિજોરીમાં બાંકોરું પાડવાનું કાર્ય કરતા કરચોરો પર વિભાગે સીંજો શરૂઆત કરી છે . ગાંધીધામમાં કોલસાનો ટ્રેડીંગ સાથે જોડાયેલી એક પેઢીના વેપાર સબંધિત ફાઈલીંગમાં દસ્તાવેજો વચ્ચે સુમેળ ન થતા અને ગેરરિતીની ગંધ આવતા તપાસ હાથ ધરાઈ હતી . જેમાં કોલસાની ટ્રેડીંગ કરતી આ પેઢી ખરેખર ધંધો પણ કરતો હોવાનું અને સાથે ઉભી કરેલી અન્ય કંપનીમાં ખોટા બીલ બનાવીને તેનો ખોટી રીતે લાભ લેતો હોવાનું ખુલવા પામ્યું હતું . તપાસમાં 7 કરોડ જેટલી જંગી કિંમતના ફેક ઈનવોઈસ કઢાયા હોવાનું ખુલવા પામ્યું હતુ , જેની પાસેથી ત્રણ કરોડની રકમ વસુલ આ પ્રકારની કામગીરી અગાઉ પણ સમય સમય પર ઝડપાતી રહી છે , પરંતુ ગાંધીધામ સ્થિત પેઢી દ્વારા આ પ્રકારની ગેરરીતિ આચરાયાનો કિસ્સો જવલ્લેજ અગાઉ પ્રકાશમાં આવ્યો હતો કસવાની કરવામાં આવી હતી . આ પ્રકરણમાં કોલસાનો જથ્થો ટ્રેડરે ગાંધીધામથી મુંબઈ , ત્યાંથી રાજસ્થાન અને આવીજ રીતે બે ત્રણ અન્ય સ્થળોએ લે વેંચ દેખાડી હતી . ખરેખર તો આ તમામ ગતિવિધી માત્ર ને માત્ર કાગળ પર ઘોડા દોડાવીને કરાવી હતી
Recent Comments