કાગવડ ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલ અને વીર માંધાતા ગ્રુપ પ્રમુખ વચ્ચે સામાજિક મુલાકાત
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/IMG-20220403-WA0064-1140x620.jpg)
કાગવડ આજરોજ કોંગ્રેસના તેજાબી વક્તા અતુલભાઈ પટેલના માર્ગદર્શન નીચે અને દિનેશભાઈની મધ્યસ્થીતી ખોડલધામ કાગવડ ખાતે વીર મધતાના પ્રમુખ રાજુભાઈ સોલંકી અને નરેશભાઈ પટેલ વચ્ચે સામાજીક મુલાકાત સાથે ગુજરાત રાજકારણ ફરી ગરમાયુ છે.નરેશભાઈ પટેલની સક્રિય રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે આજે કોળી સમાજના આગેવાનોની નરેશભાઈ સાથે ઓચિંતી મુલાકાત થતાં રાજકીય ગરમાવવો આવ્યો છે અને સૂત્ર પાસે થી જાણવા મળતી માહિતી મુજબ હજુ ઘણાં સમાજના આગેવાનો નરેશભાઈ ને મળવા જવાના છે તેવા હાલ પ્રાથમિક હેવાલ પ્રાપ્ત થાય છે પરંતુ રસપ્રદ એ છે જો ગુજરાતમાં કોળી સમાજ અને પાટીદાર સમાજ બન્ને ખરેખર જો એક મંચ પર આવે અને મહેનત કરે તો ગુજરાતની રાજકીય દશા અને દિશા બદલાઈ શકે છે.કોળી સમાજના આગેવાનો ને નરેશભાઈ સાથે બેઠક કરાવવામાં ભાવનગરના ત્રણ યુવા નેતાઓ સફળ રહ્યાં છે દર્પણ ડાખરા,હાર્દિક દોમડિયા અને નરેશભાઈ જસાણી ની મહેનત દ્વારા નરેશભાઈ સાથે મુલાકત થતા બને સમાજના આગેવાનો વચ્ચે એક હરખની હેલી સાથે ભાવવાત્મક દ્રષ્યના દર્શન થયાં અને બન્ને સમાજ સામાજીક, રાજકીય, સાથે રહીને આગળ વધશે અને નરેશભાઈ જો સક્રિય રાજરણમાં આવે તો વીર માંધાતા ગ્રૂપ સંપૂર્ણ નરેશભાઈ ના સમર્થનમાં છે તેવું રાજુભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું.
Recent Comments