ગુજરાતમાં શિક્ષણ સારૂ ના લાગતુ હોય તો પાકિસ્તાન જતા રહો, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગુસ્સે થયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/featured_1649248229-1140x620.jpg)
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બે દિવસના રાજકોટના પ્રવાસે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ દરમિયાન ગુસ્સે થયા હતા અને કહ્યુ કે, ગુજરાતમાં શિક્ષણ સારૂ ના લાગતુ હોય તો ગુજરાત છોડીને જતા રહે.
જીતુ વાઘાણીએ કહ્યુ કે જન્મ્યા ગુજરાતમા, રહેવુ ગુજરાતમાં, ધંધો અહી કર્યો, છોકરા અહી ભણ્યા અને હવે બીજે સારૂ લાગતુ હોય તો મારી વિનંતી છે કે જે દેશ અને જે રાજ્યમાં શિક્ષણ સારૂ લાગતુ હોય ત્યા જતા રહો. જીતુ વાઘાણીએ કહ્યુ કે, ગુજરાત આવો, વ્યવસ્થા જુઓ, શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે.
શિક્ષણ મંત્રીએ યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડને લઇને કરેલા સવાલના જવાબમાં કહ્યુ કે, કોણ યુવરાજ સિંહ? કાયદો બધા નાગરિકો માટે સરખો છે, કોઇ પણ ખોટુ કરે તેને પકડીને સજા આપવા રાજ્ય સરકાર તૈયાર છે. પેપર ફૂટી ગયું અને ફોડી નાખું એવી રીતે સરકાર ન ચાલે. પહેલા તો બાવડું પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી. સગા-વ્હાલાના આજે પણ રજિસ્ટરમાં નામ નીકળશે. મહત્વપૂર્ણ છે કે યુવરાજ સિંહની પોલીસ પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments