fbpx
ગુજરાત

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકા માં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકા માં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું.   ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા જતાં પ્રભાવ વચ્ચે આજ રોજ આમોદ-જંબુસર વિધાનસભાના કાર્યાલય તરીકે આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું પ્રદેશના નેતાઓના હસ્તે આમોદમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

આમોદમાં નેશનલ હાઇવે નંબર ૬૪ નજીક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ પણ નેતાઓના હસ્તે ટોપી પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે વર્ષો સુધી લોકો ભાજપ અને કોંગ્રેસને વોટ આપતાં રહ્યાં પરંતુ બને પાર્ટીએ ક્યારેય સામાન્ય માણસની ચિંતા કરી નથી ત્યારે આમ આદમી પાર્ટીને સામાન્ય લોકો પસંદ કરી રહ્યાં છે.

ભાજપ સરકાર આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે.જેથી તે ઇડી અને સીબીઆઈની રેડ કરાવી રહી છે.તેમજ હવે આમ આદમી પાર્ટીનું રજિસ્ટ્રેશન રદ કરાવવા ચૂંટણી પંચમાં ભાજપ પહોંચી ગઈ છે.જેથી હવે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર સતાવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના જંબુસર વિધાનસભા ના આગેવાન સાજીદ રેહાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રદેશ મહામંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગામડામાંથી પણ લોકો આવ્યા હતાં.લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/