દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા રાત્રિ ખેલ માટે ૮૭ કરોડના ખર્ચે સવલત ઊભી કરાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/12/File-01-Page-33-2-1140x620.jpg)
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ એસ.કે. મહેતાએ ગોપાલપુરી કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ માટે સ્પોર્ટ્સ લાઇટિંગનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પોર્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા સાથે પોર્ટના એચઓડોએસ, ડીવાય. એચઓડીએસ અને સિનિયર અધિકારીઓ વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા. પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૮૬.૯૩ લાખ અને કામ ૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ અથવા તે પહેલાં શરૂ થશે. ૩૦ મીટરની ઊંચાઈના કુલ ચાર સ્ટેડિયમ હાઈ માસ્ટ હશે, જેમાં ૩૫ નંગ હશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીની ગોપાલપુરી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૫૦૦ વોટ્ સરેરાશ લાઇટિંગ લેવલ હાંસલ કરવા માટે દરેક ટાવર પર ૫૦૦ વોટની એલઈડી ફ્લડ લાઇટ્સ લગાવામાં આવશે. દીનદયાળ પોર્ટ ઈન્ફરાસ્ટ્રક્ચર વદાવવા કટિબદ્ધ છે.
Recent Comments