ગુજ્રરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮ નવા કેસ નોચાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૮૧ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૯.૧૧ ટકા છે, અત્યાર સુધીમાં ૧૨,૭૯,૫૩૮ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ગુજરાત રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ… તે જાણો.. ગુજરાત રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪૩૩ છે, જેમાથી ૪૩૦ સ્ટેબલ છે અને ૩ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં ૧૨,૭૯,૫૩૮ દર્દી ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧,૦૭૫ દર્દીના કોરોનાથી મોત થયા છે. કયા શહેરમાં કેટલા નોંધાયા કેસ… તે જાણો.. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૭, સુરતમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશનમાં ૨, આણંદ, રાજકોટ અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા હતા.કોવિડ ૧૯ (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) એ લોકોને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ અસર કરી છે. કોરોના વાયરસના કારણે હૃદય, ફેફસાં, કિડની અને અન્ય અંગો પણ પ્રભાવિત થયા છે. એકવાર કોવિડની પકડમાં આવ્યા બાદ અનેક રોગોનું જાેખમ વધી ગયું છે. ખોટી જીવનશૈલી અને બેદરકારીના કારણે તેની અસર લાંબા સમય સુધી જાેવા મળે છે. આ રોગોને કોવિડ ૧૯ પછીની આડઅસરો માનવામાં આવે છે.
ચાલો જાણીએ કોવિડ પછી થનારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશેપ કોવિડ પછી થનારી માનસિક સ્વાસ્થ્ય પર અસરની સમસ્યાઓ વિશે જાણો… જે લોકો કોરોનાનો શિકાર બન્યા હતા તેમનામાં ડિપ્રેશન, ચિંતા, યાદશક્તિ ગુમાવવાની સમસ્યાઓ જાેવા મળી છે. કોવિડને કારણે ખાવાનું, લાંબા સમય સુધી અલગ રહેવું અને આર્થિક રીતે નબળા રહેવાથી તણાવ તેના શિકાર બને છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર જાેવા મળી રહી છે. કોવિડ પછી થનારી શ્વાસની તકલીફની સમસ્યાઓ વિશે જાણો… કોરોનાથી સંક્રમિત મોટાભાગના લોકોને કફની ફરિયાદો મળી રહી છે. ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં લાંબા સમય સુધી જકડાઈ જવાની સમસ્યા રહે છે. જેમને પહેલાથી જ શ્વાસની તકલીફ છે તેઓ વધુ ચિંતિત છે. કોવિડ પછી થનારી હાયપરટેન્શન અસરની સમસ્યાઓ વિશે જાણો… કોરોના દરમિયાન તણાવના કારણે ઘણા લોકો હાઈપરટેન્શનની ચપેટમાં પણ આવી ગયા છે. આ રોગચાળા પછી બીપીની સમસ્યામાં પણ વધારો જાેવા મળ્યો છે. કોવિડ પછી થનારી હૃદય રોગને લગતી સમસ્યાઓ વિશે જાણો… કોવિડ ૧૯ પછી લોકોમાં હૃદયની બીમારીઓ પણ જાેવા મળી રહી છે. કોવિડની ઝપેટમાં આવેલા લોકોના હૃદયના ધબકારા પણ અચાનક જ અસાધારણ બની રહ્યા છે. બ્લડ ક્લોટ અને હાર્ટ ફેલ થવા જેવી ફરિયાદો પણ આવી રહી છે. કોવિડ પછી થનારી કેન્સરને લગતી સમસ્યાઓ વિશે જાણો… કોવિડ ૧૯ વાયરસે ઘણા પ્રોટીનને નુકસાન પહોંચાડ્યું છે જે શરીરને સ્વસ્થ રાખે છે. જેના કારણે કેન્સરનો ખતરો પણ વધી શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાને કારણે અનેક ગંભીર બીમારીઓએ પોતાનો ભોગ લેવાનું શરૂ કર્યું છે
Recent Comments